સ્વાર્થી લોકોની વચ્ચે કોઈ નિસ્વાર્થ વિશ્વાસુને મળવાનું મન થાય,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.
મુશ્કેલીઓથી ઘેરાઈને જયારે કઈ રસ્તો ના સુઝે અને કોઈ નાં મળે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.
ભલે આખી દુનિયા દુશ્મન બને તારી પણ જયારે કોઈ દોસ્ત નાં મળે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.
અંતરની ઊર્મિનો ભાર વધી જાય અને કોઈ સાંભળવાવાળું ના મળે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.
સુખમાં તું ખુશ રહેજે, આનંદ કરજે પણ જયારે અસહ્ય દુઃખ આવી પડે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.
નફરત ભલે કરે તું મને પણ સાચા હૃદયથી પ્રેમ કરવાનું મન થાય,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.
પોતાનું દુઃખ હળવું કરવા અને રડવા માટે કોઈના ખભાની જરૂર પડે,
ત્યારે ચિંતા ના કરીશ, હું ત્યાં હાજર હોઈશ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો