શુક્રવાર, 24 જાન્યુઆરી, 2014

સમજણનો સેતુ.

માનવાકૃતિની સમજ છે આ દોસ્તો, ચાલો થોડી સમજતા જઈએ,
વિશાળકાય આ દુનિયામાં કંઈક ને કંઈક શીખતા રહીએ.
નાસમજ માનવીની આ દુનિયામાં, થોડી સમજણ કેળવતા જઈએ,
પ્રેમરૂપી હાસ્યના સંગાથે, માણસને માણસાઈ દેખાડતા રહીએ.
ભલમાણસાઈ છે માફ કરી દેવામાં, સૌ કોઈને ક્ષમા કરતા જઈએ,
દુશ્મનોની ક્રુરતાને પણ મિત્રોની મજાક સમજીને,સંબંધોના સેતુઓ બનાવતા રહીએ.
ક્રોધથી શાંત નથી રહેવાના આ યુદ્ધો, માથા પર થોડું ઠંડુ પાણી રેડતા જઈએ,
વેર-ઝેરના ભાવ ભૂલીને, મિત્રતાના પાઠ ભણતા રહીએ,
હવે તો બસ એટલું જ કહેવું છે આ દુનિયાને,બે પળની આ જિંદગીમાં,
થોડું તમે જીવો અને થોડું અમે જીવીએ,આમ કરીને એકબીજા સાથે હળીમળીને ચાલતા રહીએ,
બસ ચાલતા રહીએ.

શનિવાર, 11 જાન્યુઆરી, 2014

હેય્ય્ય્ય !!!! મેં તેરા ખૂન પી જાઉંગા.....

“ગુસ્સો/ક્રોધ” આ બંને એવા શબ્દો છે જે દરેક માણસના શત્રુઓ હોવા છતાં અને માણસને પોતાને ખબર હોવા છતાં કે આ મારા શત્રુઓ છે, છતાં પણ પોતાની સાથે રાખે છે. અત્યારની યંગ જનરેશન માટે ગુસ્સો દિવસે ને દિવસે બેકાબુ બનતો જાય છે. આજે સહનશક્તિ નામનું તત્વ માણસમાંથી નષ્ટ થતું જાય છે.જો કે આ બધું પુરાતનકાળથી જ ચાલ્યું આવે છે. દ્રૌપદીની મજાક ને કારણે દુર્યોધન ગુસ્સે થયો અને પરિણામ આવ્યું “મહાભારત”. સુપર્ણખાના ખોટા નિવેદનથી રાવણ ગુસ્સે ભરાયો અને સર્જાઈ “રામાયણ”.

an2

આમ, ક્રોધાગ્નીમાં સેંકડો લોકોની આહુતિ આપમેળે અથવા કોઈ ઘટનાના પરિણામ રૂપે દેવાઈ ગયી. કહેવાય છે કે ગુસ્સો માણસ માટે હાનીકારક છે પણ કોઈ એની પાછળનું કારણ નથી આપતું કે ગુસ્સો આવે છે શા માટે ?
ગુસ્સાનો સીધો સંબંધ પસંદગી સાથે છે. !!!! જોયું તમારા ચેહરાની રેખાઓ પણ બદલાઈ ગયી ને ?? સીધી વાત છે કે જયારે સામેની વ્યક્તિ આપણને ના ગમે તેવું વર્તન કરે, ના ગમે તેવું કામ કરે કે ના ગમે એવું બોલે ત્યારે એનું રીએક્શન ડાયરેક્ટ ગુસ્સામાં પરિવર્તન પામે છે. ગુસ્સામાં માણસ શું બોલે છે, શું કરે છે એનું એને કઈ પણ ભાન નથી રહેતું અને પછી પરિણામ ભોગવવાની હિંમત પણ નથી રહેતી કે નથી પસ્તાવાનો સમય રહેતો.

angry couple, isolated on white

કીસીને સચ કહા હે કી
“ગુસ્સેમેં લિયે ગયે ફેસલે, બાદ મેં તકલીફ પહુચાતે હે”
દુનિયામાં દરેક માણસ જો એકસરખું વિચારતા હોત તો દુનિયાનું અસ્તિત્વ જ ના રહ્યું હોત, જે લોકો આપણને ન ગમતા કામ કરે છે તેઓ ખરાબ નથી હોતા, તેઓ પણ કોઈ પરીસ્તીથીને આધીન કામ કરતા હોય છે અને એની મજબુરીને આપણે વિદ્રોહનું નામ આપીને ગુસ્સો કરીને સંબધોની દાલફ્રાય કરીને આરામથી પીએ છીએ,અને પછી પાછળથી પેટને નુકશાન કરે છે. એક વાત હમેશા યાદ રાખવી જોઈએ કે જે લોકો આપણને ના ગમતા કામ કરે તેના પર ગુસ્સે થવું નાં જોઈએ. એને જે લાગ્યું તે તેણે કર્યું, પરંતુ પ્રત્યુતરમાં ગુસ્સાથી કોઈ કામ લેવામાં કોઈ સારપ નથી. એમણે કરેલું કામ કે તેનો સ્વભાવ આપણે બદલી તો શકતા નથી તો આપણે જ તેની સાથે એડજસ્ટ થઇ જઈએને. એ પણ શાંતિથી જીવશે અને આપણે પણ જીવી શકીશું.

an1

ગુસ્સારુપી તલવાર પ્રેમનું ગળું કાપી શકતી નથી પણ સંબંધોની તો એવી ક્રૂર હત્યા કરે છે કે તેને જોતા પણ કાળજું કંપી ઉઠે.
જે માણસ પોતાના ગુસ્સાની એક ક્ષણ ટાળી શકે છે એ પસ્તાવાનો આખો દિવસ ટાળી શકે છે. ગુસ્સો મૃત્યુને નોતરે છે અને સાથે વિનાશ પણ વેરતો જાય છે.
“ગુસ્સાના સમયે માણસ કોઈને જોતો નથી,
અને પસ્તાવાના સમયે દુનિયા તેની સામે જોતી નથી.”
પ્રેમથી જીવો, જીવવા દો……. સદાય હસતા રહો મિત્રો…. Keep Smiling…..

sm

રવિવાર, 5 જાન્યુઆરી, 2014

ભાઈ ! થોડો વિચાર કરી લે..

મળી છે જિંદગી આ બે પળની ભાઈ !
જીવી લે તું, મન ભરીને જીવી લે,
ક્યાં સુધી દિલમાં રાખીશ તારા પ્રેમને ભાઈ !
એકવાર હિંમત કરીને બોલી લે,
નજર આપી છે ભગવાને બધું જોવા ભાઈ !
એક વાર મન ભરીને આ દુનિયાને જોઈ લે,
ઝુકશે દરેક માણસ તારા પ્રેમની સામે ભાઈ !
ગુસ્સો કરનારની સામે પણ પ્રેમથી નજર કરી લે,
ટકાવી રાખવા છે જો સંબંધો અડીખમ ભાઈ !
દરેક વાત સાંભળીને સહન કરી લે,
થશે ચોક્કસ તારી કિંમત આ દુનિયાને ભાઈ !
પણ પેલા તારું કર્મ તો વ્યવસ્થિત કરી લે.

શુક્રવાર, 3 જાન્યુઆરી, 2014

First Article of my Life. Gift to Kushal Dixit

1506773_633273410069497_837370535_n

                               કહેવાય છે કે માણસની પ્રતિભાઓ જન્મ લેતી નથી પરંતુ અનુભવના આધારે પ્રગટ થાય છે. આવી જ એક પ્રતિભા વિષે આજે થોડું જાણીએ. 

૨૧-૧૨-૧૯૮૩ ના દિવસે દિક્ષિત પરિવારના મનુભાઈના ઘરે કુળદીપકનો જન્મ થયો. ત્યારે મનુભાઈને ખબર નહિ હોય કે મારા ઘરે એક એવી વ્યક્તિનો જન્મ થયો છે જે ભાવનગરની કલાનગરીનો એક એવો હિસ્સો છે જેનું નામ સાંભળતા માણસ વિચારવા માંડે છે કે આજે કૈક નવા પ્રકારની કોરીઓગ્રાફી જોવા મળશે. પરંતુ ઉપર કહ્યું તેમ કે અનુભવના આધારે પ્રતિભા પ્રગટ થાય છે.

                            પોતાના કોલેજકાળ દરમિયાન જે છોકરાને યુવક મહોત્સવમાં ભાગ લેવા દેવામાં ન આવ્યો. પરંતુ એ છોકરો હિંમત હારે તેમાંથી ન હતો. તેને વિચારી લીધું કે ભાવનગરની આ કલાનાગરીમાં એક દિવસ હું મારા નામનો ડંકો વગાડીશ, અને આ ધ્યેય સાથે પોતાના મિત્રો અને પરિવારની મદદથી મેદાને પડેલા એ છોકરાએ સંસ્થા શરુ કરી અને નામ રાખ્યું કલાપથ સંસ્થા. જે સંસ્થા કળા તરફ જવાનો રસ્તો દેખાડે છે.

                           સંસ્થાના સ્થાપન બાદ કલાનગરીમાં નામ બનાવવું આસાન નહોતું.પણ એના ધ્યેય અને અડગ નિર્ણય સામે તકદીરે પણ ઝુકાવ્યું. ૨૦૦૭ માં અમદાવાદમાં  કર્ણાવતી હરીફાઈમાં પોતાના મિત્રોની મદદથી અને અથાગ મહેનતથી હરીફાઈ જીતી લીધી અને શરુ થયો કલાપથ યુગ. એક પછી એક પ્રોગ્રામો, હરીફાઈઓ, અને નામના મેળવ્યા બાદ પણ એ માણસે પોતાના પગ જમીન પર ટકાવી રાખ્યા. પરંતુ સફળતા તો ત્યારે કહેવાય જયારે એ દરેક અડચણો પાર કરીને મેળવી હોય. ૨૦૦૯ નું એ વર્ષ જે યુવક ની કારકિર્દી બગાડી શક્યું હોત પણ પાછુ વાળીને જુવે તો એ કલાપથના મહારથી ના કહેવાય. એક અકસ્માતમાં એક પગનું હાડકું ભાંગ્યું અને ખસી ગયું. ડોક્ટરોએ પણ કહી દીધું કે હવે આ જુવાન રમી નહિ શકે પણ બાપા બજરંગદાસ માં અતુટ શ્રદ્ધા અને પોતાના અડગ નિર્ણય અને મહેનતથી એ ફરી મેદાને ઉતર્યા અને સફળ પણ થયા.

                             સતત પોતાના લક્ષ્ય તરફ કે કલાપથ સંસ્થાનું નામ ચારે દિશામાં ગુંજવું જોઈએ.અને કરી બતાવ્યું.આજે દિલ્હી, કચ્છ કાર્નિવલ , વાયબ્રન્ટ ગુજરાત, દુરદર્શન,વગેરે જેવા મોટા ઉત્સવોમાં આ સંસ્થાની નોંધ લેવાય છે, એવી આ કલાપથ સંસ્થાના લીડર યુવાન નું નામ છે કુશલ દિક્ષિત. અને આજે ૩૦ વર્ષ પૂર્ણ કરનાર એ યુવક ના જનમદિન ને હરખ થી વધાવીએ અને હાર્દિક શુભેછાઓ પાઠવીએ. પોતાની કળા આપણા દેશને પીરસતા રહે અને ખુબ આગળ આવે એવી ભગવાનને પ્રાર્થના. બાપા સીતારામ. બજરંગદાસ બાપા ની જય…